વડાપ્રધાન મોદીએ કર્યો શાબ્દિક પ્રહાર: PMએ મહારાષ્ટ્રમાં કહ્યું- આ નકલી શિવસેનાવાળા કહે છે મને વળી જીવતો દાટી દેવાની વાત
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan10052024_100021_Modi Latest.webp)
- 10 May, 2024
લોકસભા ચૂંટણીની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મહારાષ્ટ્રના નંદુરબારમાં એક વિશાળ રેલીને સંબોધી હતી. આ દરમિયાન કોંગ્રેસની સાથે-સાથે તેમણે શિવસેના પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે નકલી શિવસેના વાળા મને જીવતો દાટી દેવાની વાત કરે છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આ લોકો કહી રહ્યાં છે કે મોદીની કબર ખોદાશે. તુષ્ટિકરણ માટે આ ભાષા બોલી રહ્યાં છે. તેમને સપના દેખાઈ રહ્યાં છે કે મોદીને જમીનમાં દાટી દઈશું. તેમને એ વાતનો ખ્યાલ નથી કે દેશની માતાઓ અને બહેનો મોદીને રક્ષા કરશે.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે મહા અઘાડી આરક્ષણના મહાભક્ષણનું મહા અભિયાન ચલાવી રહી છે. જ્યારે એસસી, એસટી અને ઓબીસીનું આરક્ષણ બચાવવા માટે મોદી મહારક્ષણ મહાયજ્ઞ કરી રહ્યો છે. હું કોંગ્રેસના શાહી પરિવારની જે મોટા પરિવારમાંથી આવતો નથી. હું તો ગરીબીમાં જ મોટો થયો છું. મને ખબર છે કે અહીં તમે કેટલી તકલીફ ઉઠાવી છે. તમારા જીવનમાં પણ મુશ્કેલીનો પહાડ હતો. કેટલાક આદિવાસી પરિવારો પાસે પાક્કું ઘર નહોતું. આઝાદીના 60 વર્ષ પણ ગામડાઓમાં વીજળી પહોંચી નહોતી.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે મોદીએ સંકલ્પ લીધો હતો કે દરેક ગરીબ, દરેક આદિવાસીને ઘર, દરેક આદિવાસીના ઘરમાં પાણી, દરેક ઘરમાં પાણીની સુવિધા, દરેક ગામમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. અમે નંદુરબારના લગભગ 1.25 લાખ ગરીબોને પીએમ આવાસ યોજના અંતર્ગત પાક્કા મકાન આપ્યા છે. છેલ્લા 10 વર્ષમાં અમે 4 કરોડ પાક્કા ઘર આપ્યા છે અને ત્રીજી ટર્મમાં અમે 3 કરોડ ઘર આપીશું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ